ભરાણા ગામના સ્વ. જેંતીલાલ નેણસીડાસ પોપટની ધર્મપત્ની સરોજબેન જેંતીલાલ પોપટ નો આજે 1 ડિસેમ્બર 2025 અવસાન થયું. પરિવારજનોએ 4 ડિસેમ્બર, ગુરુવારે જામનગરના પંચવટી નર્મદેશ્વર મહાદેવ ખાતે બેસણું રાખ્યું છે.
ભરાણા ગામના સ્વ. જેન્તીલાલ નેણસીડાસ પોપટની ધર્મપત્ની સરોજબેન જેંતીલાલ પોપટ આજે તા. 1/12/2025ના રોજ શ્રીજીચરણ પામ્યા છે. તેમના અવસાનથી પોપટ પરિવાર તથા સંબંધિત કુટુંબોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
સરોજબેન પોપટ, બાલકૃષ્ણભાઈ અને કેતનભાઈ પોપટની ભાભી તેમજ
ભાવિકા ગોપાલકુમાર લાખાણી (પોરબંદર),
રેખા વિમલકુમાર સવજાણી (રાજકોટ),
હિના પરેશકુમાર સવજાણી (સુરત),
જ્યોતિ અમિતકુમાર સામાણી (દ્વારકા),
અને સપના રાજકુમાર ખંધેડીયા (ભાણવડ)
ની માતૃશ્રી હતા. પરિવારમાં આ નિષ્ઠુર ક્ષણે સૌમાં દુઃખની લાગણી વ્યાપી છે.
સદગતનું બેસણું તા. 4 ડિસેમ્બર 2025, ગુરુવારે સાંજે 4:00 થી 4:30 વાગ્યા દરમ્યાન પંચવટી નર્મદેશ્વર મહાદેવ, અંબિકા ડેરીની પાછળ, જામનગર ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષની સાદડી સાથે રાખવામાં આવશે.
પરિવારજનો તરફથી વિનંતી કરવામાં આવી છે કે લોકિક પ્રથા બંધ રાખવામાં આવી છે, અને શોકમંદિર ખાતે સાદગીપૂર્વક હાજરી આપવા વિનંતી છે.


