ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ષ 2024માં લેવામાં આવેલી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના પરિણામો ડિસેમ્બર 2025માં જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામોમાં રઘુવંશી સમાજના પ્રતિભાશાળી યુવક અને યુવતીઓએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે.
આ ભરતી પ્રક્રિયા અંતર્ગત કુલ 15 ઉમેદવારોની પોલીસ કોન્સ્ટેબલ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. પસંદગી પામેલા તમામ ભાઈઓ અને બહેનોને સમાજ તેમજ વિવિધ સંસ્થાઓ તરફથી હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
નિયુક્ત થયેલા ઉમેદવારોના નામ નીચે મુજબ છે: શિવાનીબહેન પરેશભાઈ સેજપાલ, દીપભાઈ કિરણભાઈ ઠક્કર, સાહિલભાઈ અશોકભાઈ રૂપારેલિયા, કાજલબહેન રૂપાચંદભાઈ ઠક્કર, ઉમંગભાઈ મહેન્દ્રભાઈ પૂજારા, એકતાબહેન દિનેશભાઈ દાવડા, બ્રિજેશભાઈ પ્રભુલાલભાઈ ઠક્કર, જયદીપભાઈ આશિષભાઈ ઠક્કર, વ્રજેશભાઈ જગદીશભાઈ પૂજારા, રિયાબહેન હિતેષભાઈ મજેઠીયા, દીપાશાબહેન મુકેશભાઈ રાજાણી, નેન્સીબહેન નરેશકુમાર ગોપાણી, કૃપાબહેન મગનભાઈ હરખાણી, ઝીલબહેન મહેન્દ્રભાઈ ઉનડકટ તથા ખુશ્બુબહેન રાજેશભાઈ કારિયા.
ઉપરોક્ત તમામ નવ નિયુક્ત ભાઈઓ અને બહેનોને *શ્રી રઘુવંશી પોલીસ પરિવાર (ગુજરાત)*ના ગ્રુપમાં જોડાવવા માટે મોબાઇલ નંબર 8306423868 પર કોલ અથવા મેસેજ કરવા વિનંતી કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યનું સંચાલન *Shree Raghuvanshi Yuva Shakti Sangh (RYSS)* દ્વારા કરવામાં આવી રહ્યું છે.


