ધનુર્માસ નિમિત્તે દ્વારકાધીશ જગતમંદિર ખાતે વિશેષ ઉત્સવ દર્શનનું આયોજન. મંદિર ટ્રસ્ટ દ્વારા મંગળા આરતી સહિત દર્શન સમયગાળામાં ફેરફાર જાહેર.
યાત્રાધામ દ્વારકાના સુપ્રસિદ્ધ ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં ધનુર્માસના શુભ પ્રસંગે વિશેષ ઉત્સવ દર્શન કાર્યક્રમો યોજાશે. ધનુર્માસ દરમિયાન પરંપરા મુજબ વિશેષ પૂજા, ઉત્સવ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
જગતમંદિરના વહીવટદાર જૂહેરીજી દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ધનુર્માસ દરમ્યાન દર્શન સમય નીચે મુજબ રહેશે:
દર્શન સમય (16/12/2025 થી 23/12/2025):
સવારે 5:30 — મંગળા આરતી
સવારે 10:30 — ઉત્સવ દર્શન
સાંજે 5:00 — સાંજ આરતી
સાંજે 7:00 — શૃંગાર દર્શન
ધનુર્માસ દરમ્યાન ભક્તોની વધતી ભીડને ધ્યાનમાં રાખી મંદિર ટ્રસ્ટે ભક્તોને શિસ્તબદ્ધ રીતે દર્શન કરવા વિનંતી કરી છે.


