Google search engine
HomeGujaratDevbhumi Dwarkaભાણવડ એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ બળદ આશ્રમે 1100 કિલો કાશ્મીરી...

ભાણવડ એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિવ બળદ આશ્રમે 1100 કિલો કાશ્મીરી સફરજનથી ગૌસેવા

ભાણવડ એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શિવ બળદ આશ્રમે અનોખી ગૌસેવા કરતા તમામ બળદને 1100 કિલો કાશ્મીરી સફરજન પીરસાયા. સેવા કાર્યોમાં આશ્રમના પ્રમુખ સહીત અનેક સેવકો જોડાયા.

ભાણવડ એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ અને તેના દ્વારા સંચાલિત શિવ બળદ આશ્રમમાં ગૌવંશોની અનોખી અને હર્ષભરી સેવા કરવામાં આવી. આશ્રમમાં રહેલા તમામ બળદને વિશેષ રૂપે 1100 કિલો કાશ્મીરી સફરજન પીરસવામાં આવ્યા, જે ગૌસેવા માટે એક સરાહનીય પહેલ ગણાય છે.

આ સેવા પ્રવૃત્તિ દરમિયાન આશ્રમના પ્રમુખ અશોક ભટ્ટ, સાથે દૂદા ભાઈ, વિજય ખૂંટી, મેરામણ મકવાણા, હરીશ વાઘેલા, લાલુ કારાવદરા, દત્ત દેસાઈ, ધવલ સોનગરા, અક્ષય સૂચક અને વિશાલ ભરવાડ સક્રિય રીતે જોડાયા હતા.

સેવા દરમિયાન તમામ સેવકો અને આશ્રમ પરિવાર દ્વારા દાતા પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો. ગૌવંશ સેવાભાવને પ્રોત્સાહન આપતી આ ઘટના સમાજ માટે પ્રેરણારૂપ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments