દ્વારકાની 139 વર્ષ જૂની ગૌશાળામાં આવી નાનકી આદિત્રીએ જન્મદિવસે ગાયોનું પૂજન અને સેવા કરીને ઉંમરને લાજવંતી એવી પરંપરાનું પાલન કર્યું. બારાઈ પરિવારની આ નાની દિકરીએ પાર્ટીની બદલે સેવાનું માર્ગ પસંદ કરી સુંદર સંદેશ આપ્યો.



દેવભૂમિ દ્વારકામાં આજે એક અનોખું અને પ્રેરણાદાયી દૃશ્ય જોવા મળ્યું. હોટેલ લીલાઝના જગદિશભાઈ બારાઈની પૌત્રી તેમજ કિશનભાઈ બારાઈની લાડકી આદિત્રીએ પોતાનો જન્મદિવસ પરંપરાગત રીતે ગૌસેવા સાથે ઉજવીને સમાજને એક સુંદર સંદેશ આપ્યો છે — “આડંબર નહીં, સંસ્કાર!”
જ્યારે આજના સમયમાં નાનાં બાળકો જન્મદિવસે પાર્ટી, મોજમસ્તી અને ભવ્ય ઉજવણીઓ તરફ આકર્ષાય છે, ત્યારે આદિત્રીએ એ બધાથી દૂર રહી દ્વારકાની 139 વર્ષ જૂની ઐતિહાસિક ગૌશાળામાં જઈ ગાયોનું પૂજન, ખોરાક અને સેવા કરી દિવસની શરૂઆત કરી. ગૌસેવા કરીને તેમણે પોતાની ઉંમરને લાજવંતી એવી સેવા પરંપરા જીવંત રાખી.
બારાઈ પરિવાર માટે આ ક્ષણ ગર્વ કરવાની હતી, કારણ કે પરિવારના સંસ્કાર અને મૂલ્યો આદિત્રીના આ કાર્યમાં સ્પષ્ટ દેખાયા. ગૌશાળા સંચાલકોએ પણ આ અનોખી ઉજવણીને વખાણી હતી અને કહ્યું કે નાનાં બાળકોમાં આવી ભાવના સમાજ માટે શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આદિત્રીના આ નિમિત્તે દ્વારકા શહેરમાં ચર્ચા નો માહોલ રહ્યો અને લોકો દ્વારા સોશિયલ મીડિયા પર પણ તેમની પ્રશંસા થઈ રહી છે. નાની ઉંમરે સેવા, સંસ્કાર અને પરંપરાના માર્ગને અપનાવવાનો આ ઉદાહરણ અન્ય બાળકો માટે પણ પ્રેરણાનું સ્ત્રોત બની રહ્યું છે.


